WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Wednesday, February 27, 2019

સુઇગામ: આંતરરાષ્ટ્રીય બોર્ડર સહિત વાવ વિસ્તારમાં હાઇએલ


સુઇગામ: આંતરરાષ્ટ્રીય બોર્ડર સહિત વાવ વિસ્તારમાં હાઇએલ



પુલવામાના આંતકી હુમલા પછી ભારતીય વાયુ સેનાએ મંગળવારે પાકીસ્તાનમાં ઘુસીને ત્યાં આંતકીવાદીઓના કેમ્પ પર હુમલો કર્યો હતો. જેનાથી ભારતભરમાં ઉજવણી કરવામાં આવી હતી. પરંતુ પોતાની હરકતોથી બાજ ના આવતા પાકીસ્તાન વિમાનોએ બુધવારે ભારતમાં ઘુસવાની નિષ્ફળ કોશિષ કરી હતી. જોકે ભારતીય સેનાની જવાબી કાર્યવાહીથી પાકીસ્તાની વિમાન પરત ફર્યા હતા. જેના કારણે જમ્મુ કાશ્મીરના ૪ એરપોર્ટ હાઇએલર્ટ પર મુકવામાં આવ્યા છે. ગુજરાતમાં પણ આંતરરાષ્ટ્રીય બોર્ડર સુઇગામ સહિત વાવ અને પાકીસ્તાની સરહદ સાથે જોડાયેલા તમામ વિસ્તારોને અત્યારે હાઇએલર્ટ જાહેર કરાયા છે. ભારતીય સેના હાલ આ તમામ વિસ્તારો પર ચાંપતી નજર રાખી રહી છે. મહત્વનું છે કે, સુરક્ષાના ભાગરૂપે નડાબેટ ખાતે ટુરિઝમ અને ઝીરો પોઇન્ટની રસ્તાની કામગીરી પણ અટકાવી દઇ સીમાદર્શન પણ બંધ કરી દેવાઇ છે. સાથે આ વિસ્તારમાં કામ કરતા મજુરોને સરહદિ વિસ્તારમાંથી હટાવી દેવાની કાર્યવાહી પણ કરવામાં આવી છે.
અહેવાલ સોયબ બેલીમ અરૂણોદય ન્યૂઝ

No comments:

Post a Comment

Total Pageviews