............................ફાઈલ તસ્વીર...............................
MLA જિજ્ઞેશ મેવાણી હવે મોદી પર ફિલ્મ ‘ચોકીદાર હી ચોર હે’ બનાવશે
અમદાવાદ: બાયોપિક્સ બાદ હવે પોલિટિશન્સ પર ફિલ્મ બનાવવાનો ટ્રેન્ડ વધ્યો છે. લોકસભા ચૂંટણી- 2019ને લઈ રાજનેતાઓએ પણ ફિલ્મ બનાવવાનું શરૂ કર્યું છે. મળતી માહિતી પ્રમાણે વડગામના ધારાસભ્ય અને દલિત નેતા જિજ્ઞેશ મેવાણી હવે પ્રોડ્યુસરની ભુમિકામાં દેખાશે. જિજ્ઞેશ પીએમ મોદી પર ‘ચોકીદાર હી ચોર હે’ નામની ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું છે.
ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર બાદ નવો વિવાદ
લોકસભા ચૂંટણીને લઈ ભાજપ-કોંગ્રેસે નવી રાજનીતિ શરૂ કરી છે. ડો. મનમોહન સિંઘ પર આધારિત ફિલ્મ ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટરના રિલિઝ પહેલા જ વિવાદ શરૂ થયો છે. પીએમ મોદી પર તૈયાર થનારી ફિલ્મ હવે નવો વિવાદ ઉભો કરશે. જિજ્ઞેશ મેવાણીએ લોકસભા ચૂંટણી પહેલા જ ફિલ્મ રિલિઝ કરી દેવાની ઈચ્છા વ્યક્ત કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ નોટબંધી, જીએસટી, મોદી શાસનમાં થયેલા કૌભાંડ અને પછાતવર્ગ પર થતા અત્યાચાર ફિલ્મમાં આવરી લેવાશે
🖊 અરૂણોદય ન્યૂઝ🖊 ફરીદ ખાન ચૌહાણ
અમદાવાદ: બાયોપિક્સ બાદ હવે પોલિટિશન્સ પર ફિલ્મ બનાવવાનો ટ્રેન્ડ વધ્યો છે. લોકસભા ચૂંટણી- 2019ને લઈ રાજનેતાઓએ પણ ફિલ્મ બનાવવાનું શરૂ કર્યું છે. મળતી માહિતી પ્રમાણે વડગામના ધારાસભ્ય અને દલિત નેતા જિજ્ઞેશ મેવાણી હવે પ્રોડ્યુસરની ભુમિકામાં દેખાશે. જિજ્ઞેશ પીએમ મોદી પર ‘ચોકીદાર હી ચોર હે’ નામની ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું છે.
ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર બાદ નવો વિવાદ
લોકસભા ચૂંટણીને લઈ ભાજપ-કોંગ્રેસે નવી રાજનીતિ શરૂ કરી છે. ડો. મનમોહન સિંઘ પર આધારિત ફિલ્મ ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટરના રિલિઝ પહેલા જ વિવાદ શરૂ થયો છે. પીએમ મોદી પર તૈયાર થનારી ફિલ્મ હવે નવો વિવાદ ઉભો કરશે. જિજ્ઞેશ મેવાણીએ લોકસભા ચૂંટણી પહેલા જ ફિલ્મ રિલિઝ કરી દેવાની ઈચ્છા વ્યક્ત કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ નોટબંધી, જીએસટી, મોદી શાસનમાં થયેલા કૌભાંડ અને પછાતવર્ગ પર થતા અત્યાચાર ફિલ્મમાં આવરી લેવાશે
🖊 અરૂણોદય ન્યૂઝ🖊 ફરીદ ખાન ચૌહાણ





No comments:
Post a Comment