WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Friday, March 15, 2019

ન્યૂઝીલેન્ડ માં 2 મસ્જિદોમાં અંધાધૂંધ ગોળીબાર, 30થી વધુમા મોત, બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ માંડ માંડ બચી



ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચની બે મસ્જિદોમાં અજ્ઞાત હુમલાખોરોના ગોળીબારથી અફડાતફડી મચી ગઇ છે. હુમલામાં 27 લોકોના મોત અને કેટલાંય ઘાયલ થયાના સમાચાર છે. પહેલાં હુમલો અલ નૂર મસ્જિદમાં થયો. રિપોર્ટ્સના મતે હુમલાખોરો હજુ પણ ગોળીબાર કરી રહ્યા છે. કહેવાય છે કે ગોળીબારના સમયે બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ મસ્જિદમાં હતી, પરંતુ તેમને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. બે હુમલાખોરોએ અત્યાર સુધીમાં 50 થી વધુ વખ રાઉન્ડ ફાયરિંગ કર્યું છે.

માથા પર હેલમેટ પહેરી ઘૂસ્યા હુમલાખોરો’
હાજર પ્રત્યક્ષદર્શીઓનું માનીએ તો હુમલાખોરોએ કાળા કપડાં પહેર્યા છે અને માથા પર હેલમેટ પહેરેલું છે. તેમની પાસે ઓટોમેટિક હથિયાર છે, આથી તેઓ ફાયરિંગ કરી રહ્યાં હતા.

ન્યૂઝીલેન્ડ માટે સૌથી મોટો કાળો દિવસ’
ન્યૂઝેલન્ડના પીએમ જૈસિંડા ઑર્ડર્ન એ આ દેશને સૌથી કાળો દિવસ ગણાવતા કહ્યું છે કે મસ્જિદમાં કેટલીય જગ્યાએથી ફાયરિંગ થઇ રહ્યું છે. તેમણે લોકોન સુરક્ષિત જગ્યાએ રહેવાનો આગ્રહ કરતાં કહ્યું કે હુમલાખોરો હજુ પણ સક્રિય છે અને તે લોકોને નુકસાન પહોંચાડી શકે છે. તેમણે કહ્યું કે ન્યૂઝીલેન્ડમાં હિંસાની કોઇ જગ્યા જ નથી.

જે સમયે આ ઘટના બની ત્યારે બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ પણ ત્યાં જ હતી. મસ્જિદમાં એક્ટિવ શુટિંગની માહિતી મળતા જ તમામ ખેલાડી બાકી લોકોની સાથે મસ્જિદમાંથી નીકળી ગયા. તમામને પાર્કની બાજુવાળા રસ્તામાંથી પાછા ઓવલ મેદાનની તરફ લાવવામાં આવ્યા. આપને જણાવી દઇએ કે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ અત્યારે ન્યૂઝીલેન્ડની મુલાકાત પર છે. શનિવારના રોજ બંને વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ ક્રિસ્ટચર્ચમાં જ રમાવાની છે.

1 comment:

Total Pageviews