WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Friday, January 11, 2019

હરિયાણાના પત્રકારની હત્યાના કેસમાં રામ રહીમ સહિત ચાર દોષિત, 17મીએ સજાનુ એલાન 



હરિયાણાના પત્રકારની હત્યાના કેસમાં રામ રહીમ સહિત ચાર દોષિત, 17મીએ સજાનુ એલાન
પંચકૂલા, તા. 11 જાન્યુઆરી 2019, શુક્રવાર હરિયાણાના પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યા કરવાના મામલામાં ડેરા સચ્ચા સોદા પ્રમુખ ગુરમીત રામ રહિતને અદાલતે દોષી માન્યો છે. પંચકૂલાની વિશેષ સીબીઆઈ કોર્ટના જજ જગદીપ સિંહે 16 વર્ષ જુના મર્ડર કેસમાં રામ રહીમની સાથે બીજા ચાર આરોપીઓને પણ દોષી ઠેરવ્યા છે.તેમને 17 જાન્યુઆરીએ સજાનુ એાલાન થશે. આ પહેલા પંચકૂલામાં રામ રહીમના સમર્થકો તોફાન ના કરે તે માટે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરાઈ હતી.રામ રહિને વિડિયો કોન્ફરન્સિંગ થકી કોર્ટમાં રજૂ કરાયો હતો. રામચંદ્ર છત્રપતિની 2002માં હત્યા કરાઈ હતી.તેમણે પોતાના અખબારમાં ડેરાને લગતા સમાચારો પ્રકાશિત કર્યા હતા.હત્યા બાદ પત્રકારના પરિવારજનોએ ફરિયાદ કરી હતી.આ મામલાની તપાસ બાદમાં સીબીઆઈને સોંપી દેવાઈ હતી.2007માં આ મામલામાં રામ રહિમને હત્યાનુ ષડયંત્ર રચનાર મુખ્ય આરોપી દર્શાવતી ચાર્જશીટ રજૂ થઈ હતી.

                     ....  ફરીદ ખાન ચૌહાણ........

No comments:

Post a Comment

Total Pageviews