WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Saturday, October 23, 2021

સૂરેન્દ્રગનગર ૧૮૧ મહીલા હેલ્પ લાઈન ટીમે માનસીક રીતે પડી ભાંગેલ યુવતીને નવુ જીવન જીવવાની પ્રેરણા આપી

 


સૂરેન્દ્રગનગર ૧૮૧ મહીલા હેલ્પ લાઈન ટીમે માનસીક રીતે પડી ભાંગેલ યુવતીને નવુ જીવન જીવવાની પ્રેરણા આપી


ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા 


     સુરેન્દ્રનગર ૧૮૧ મહીલા હેલ્પ લાઈનમાં પિડિતાના ભાઈ દ્વારા ફોન આવેલ કે  તેમના બેન આત્મ હત્યાના પ્રયાસ કરે છે આથી પોતાના બેહનને સમજાવવા માંગે છે.

         આથી પિડિતના ભાઈએ જણાવેલ સ્થળ ઊપર ૧૮૧ મહીલા હેલ્પ લાઇન ટીમ સાથે તાત્કાલિક પગલા,ના ધોરણે પહોંચેલ.

         અભ્યમ ટિમને સ્થળ ઉપર થી જાણવા,મળેલ કે કોલ કરનારના બેન માતા પિતા અને ભાઈ બહેન સાથે  રહેછે અને બેન ઘરમા સૌથી નાના છે. પિડિતા બેનને ઘણા સમય પહેલા માનસિક બીમારીની દવા ચાલતી હતુ. પરંતુ થોડા સમયથી તેણે દવા લેવાનુ મુકી દીધુછે. પિડિતા જણાવે છે કે તેમને સીલાઈ મશીન લેવુ છે. જે પરિવારના સભ્યો અને દાદા લેવાની ના પાડે છે.પિડિતા જ્યારે પણ. કંઈ પણ વસ્તુ લેવાની જીદ કરે તો પરિવારના સભ્યો ના કહી ને જીદ ટાળે છે.પિડિતાના મમ્મી અને બહેન જણાવે છે કે પિડિતાબેન કંઈ કામ કરતા નથી અને ઘરમા નવી નવી મોંઘી વસ્તુ લેવાની જીદ કરે છે. આ પહેલા પણ પિડિતા ઘર મુકીને જતા રહ્યા હતાં.આત્મ હત્યા કરવા પ્રયાસ કર્યો હતો. આજે પણ સિલાઈ મશીન લેવા બાબતે જ ઝધડો કર્યો આથી પિડિતાના માતાએ પહેલા પ્રેમથી સમજાવ્યા અને ત્યાર બાદ પિડિતના મમ્મી અને કાકી  અપશબ્દો બોલ્યા આથી પિડિતાને લાગી આવ્યુ અને પિડિતે હાથની નશ કાપવામાટે ઘરનો દરવાજો બંઘ કરી દીધેલ અને ત્યાં હાજર પિડિતના ભાઈ અને બેને  દરવાજો તોડી નાખ્યો અને પિડિતાના હાથમાંથી છરી લઈ અને તાત્કાલિક અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇન ટીમ સુરેન્દ્રનગર ને પિડિતાને સમજાવવા  બોલાવેલ.

        અભ્યમ ટિમે ઘટના સ્થળ ઉપર પહોંચી પિડિતાનુ કાઉન્સેલીંગ કર્યુ અને  કાયદાકીય પ્રાથમિક માહીતી આપી અને પિડિતને તેમના ભવિષ્ય અંગેની સમજ આપી.આત્મ હત્યાના વિચારો ન કરવા કે આત્મ હત્યા ના પ્રયાસ ન કરવા સમજાવેલ.

        પિડિતા એ ૧૮૧ ટિમની સલાહ માનેલ કે હવે ક્યારેય આત્મ હત્યા ના પ્રયાસ નહીં કરે પરંતુ તેઓ હવે તેઓ પરિવાર સાથે રહેવા માંગતા નથી  આથી પિડિતાને થોડા દિવસ લાંબા ગાળાના કાઉન્સેલિંગ માટે અને આશ્રય સખી વન સ્ટોપ સેન્ટર આશ્રય અપાવેલ.


ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા

No comments:

Post a Comment

Total Pageviews