WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Friday, February 22, 2019

બ્રેકિંગ ન્યૂઝ..ST નિગમના કર્મચારીઓની હડતાળ સમેટાઇ




રાજ્યમાં બે દિવસથી ચાલી રહેલી ST વિભાગની હડતાળ બીજા દિવસની સાંજે સમેટાઇ ગઇ છે. રાજ્ય સરકાર અને સંકલન સમિતિ સાથે બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યનાં એસ.ટી.નિગમના 45 હજાર કર્મચારીઓનું અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા હતા. જેના કારણે ગઇકાલે રાજ્યભરમાં જાહેર પરિવહનની સેવા ઠપ થઇ જતા એસ.ટી.બસોમાં દૈનિક મુસાફરી કરતા 25 લાખ કરતા વધુ મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

સાતમાં પગાર પંચ મુદ્દે સરકારે બાંહેધરી આપ્યા બાદ હડતાલ સમેટી લેવામાં આવી છે. સરકાર અને સંકલન સમિતિ વચ્ચે મંત્રણા સફળ થઈ છે. પ્રાપ્ત અહેવાલ મુજબ સરકારે માગણીનો સ્વીકાર કર્યો છે. જેથી હવે ફરીથી એસટી બસો આવતીકાલથી લોકોની સેવામાં રોડ પર દોડશે.

બે દિવસની હડતાલ દરમિયાન ખાનગી બસ સંચાલકોએ લોકો પાસેથી ઉઘાડી લૂંટ ચલાવી હતી. અને અનેક અંતરિયાળ ગામોના મુસાફરો અને વિદ્યાર્થીઓ પરેશાન થયા હતા. ઉલ્લેખનીય છે કે, સરકાર પહેલા ઝુકવાના મૂડમાં નહોતી તો આ તરફ એસટીના કર્મચારીઓ પણ લડી લેવાના મૂડમાં હતા. જોકે આખરે કહી શકાય કે, એસટીના કર્મચારીઓની જીત થઈ છે. અને સરકારે તેમની માંગણી સ્વીકારી લીધી છે.

         🖊 અરૂણોદય ન્યૂઝ🖊 ફરીદ ખાન ચૌહાણ🖊

No comments:

Post a Comment

Total Pageviews