WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Friday, February 22, 2019

ST સંગઠન અને સરકાર વચ્ચેની મીટિંગ નિષ્ફળ, આવતી કાલે પણ હડતાળ રાબેતા મુજબ ચાલુ




છેલ્લા બે દિવસથી ચાલી રહેલી ST નિગમની હડતાળ હજી પણ આગળ ચાલું રહેશે. એટલે કે આવતી કાલે ત્રીજા દિવસે પણ મુસાફરોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.
આજે સાંજે એટલે કે શુક્રવારે ST નિગમનું સંગઠન તથા સરકાર વચ્ચે ગાંધીનગરમાં મીટિંગ થઇ હતી. જો કે, બેઠકમાં કોઇ નિવેડો નીકળ્યો નહોતો. જેના લીધે એસટી નિગમે પોતાની હડતાળને આગળ પણ ચાલું રાખવા માટે ચીમકી ઉચ્ચારી છે.

આજે ગાંધીનગર ખાતે વાહન વ્યવહાર પ્રધાન આર.સી ફળદુએ એસટી નિગમના સંગઠનને બેઠક માટે બોલાવ્યા હતા. ત્યાં બન્ને વચ્ચે એક કલાકથી પણ વધુ મીટિંગ ચાલી હતી. આ બેઠકમાં ST કર્મચારીઓ તરફથી સાતમાં પગાર પંચ લાગુ કરવાની માગણી કરવામાં આવી હતી, જો કે આ મામલે સરકાર તરફથી કહેવામાં આવ્યું કે કમિટીની રચના કરવામાં આવી છે જે તમારી માગણી પર વિચાર કરશે.
જો કે ST કર્મચારીઓનું કહેવું છે કે સરકાર દ્વારા લેખિતમાં આપવામાં આવ્યું નથી જેથી અમે હડતાળ રાબેતા મુજબ ચાલુ રાખીશું

              🖊 અરૂણોદય ન્યૂઝ🖊 ફરીદ ખાન ચૌહાણ🖊

No comments:

Post a Comment

Total Pageviews