- એકમાત્ર સુરેન્દ્રનગરના દેવજી ફતેપરા કપાયા
- અન્ય તમામ 14 સાંસદને રીપીટ કરાયા
અમદાવાદ, તા. 23 માર્ચ 2019, શનિવાર
દિલ્હીથી ભાજપ હાઇકમાન્ડે આખરે લોકસભાને ગુજરાતના વધુ ૧૫ ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરી છે જેમાંથી સુરેન્દ્રનગરના દેવજી ફતેપરા એકમાત્ર એવા સાંસદ છે કે જેમને રિપીટ કરાયા નથી એ સિવાયના બાકીના તમામ ૧૪ સાંસદોને ફરીથી ટિકીટ આપવામાં આવી છે આશ્ચર્યની વાત એ છે કે અમદાવાદ-પશ્ચિમની બેઠક સહિત કેટલીક બેઠક ઉપર હાલના સાંસદની ટિકિટ કપાશે એવી અટકળો હતી એટલું જ નહીં આવા સાંસદોની વિરુદ્ધમાં સેન્સ લેવા આવેલા નિરીક્ષકો સમક્ષ ભાજપના જ સિનિયર કાર્યકરો અને આગેવાનોએ ઉગ્ર રજૂઆત કરી હતી તેમજ આવા સાંસદોને ફરીથી ટિકિટ નહીં આપવાની વાત પણ કરી હતી.
આમ છતાં કોઈ રહસ્યમય કારણોથી તમામ સાંસદોને કરી દેવાતા સૌ કોઈના આશ્ચર્ય થયું છે આમ અત્યાર સુધીમાં કુલ ૧૬ બેઠક માટેના ઉમેદવાર જાહેર થયા છે જેમાં ગાંધીનગરની બેઠક પર અમિત શાહને ટિકિટ આપીને લાલકૃષ્ણ અડવાણીને તથા હવે સુરેન્દ્રનગર પરથી દેવજી ફતેપરા ને કપાયા છે હવે જે બેઠકો બાકી રહી છે તે ખુબ મહત્વની છે.
સૂત્રો જણાવે છે કે બાકી રહેલી તમામ 10 બેઠકો પર કયા ઉમેદવારને ટિકિટ આપવી તેની ભારે ગડમથલ હાઈ કમાન્ડને પણ થઈ રહી છે. બીજી બાજુ એવું માનવામાં આવે છે કે હવે આ તમામ બેઠકોના સાંસદોને રિપીટ કરવામાં નહીં આવે કારણ કે જો તેમને ફરીથી ટિકિટ આપવાની હોત તો તેમના નામની જાહેરાત પણ આજે જ કરી દેવામાં આવી હોત. બાકી રહેલી ટિકિટોના નામ નક્કી કરવા માટે કેન્દ્રના નેતાઓ ગુજરાતના ભાજપના નેતાઓ સાથે સતત સંપર્કમાં છે.
કચ્છ(SC)
-
વિનોદભાઈ ચાવડા
સાબરકાંઠા
-
દિપસિંહ રોઠોડ
અમદાવાદ પશ્ચિમ(SC)
-
ડૉ. કિરીટ સોલંકી
સુરેન્દ્રનગર
-
ડૉ. મહેન્દ્ર મુંજપરા
રાજકોટ
-
મોહન કુંડારીયા
જામનગર
-
પુનમબેન માડમ
અમરેલી
-
નારણ કાછડીયા
ભાવનગર
-
ડૉ. ભારતીબેન શિયાળ
ખેડા
-
ડૉ. દેવુસિંહ ચૌહાણ
દાહોદ(ST)
-
જસવંતસિંહ ભાભોર
વડોદરા
-
રંજનબેન ભટ્ટ
ભરૂચ
-
મનસુખ વસાવા
બારડોલી(ST)
-
પ્રભુભાઈ વસાવા
નવસારી
-
સી.આર.પાટીલ
વલસાડ(ST)
વી.સી.પટેલ





No comments:
Post a Comment