WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Friday, March 8, 2019

રાજ્ય સરકારનો વધુ એક કર્મચારી હિતલક્ષી નિર્ણય


રાજ્ય સરકારનો વધુ એક કર્મચારી હિતલક્ષી નિર્ણય
કૃષિ યુનિવર્સિટી અને રાજ્ય સરકાર સંચાલિત મેડીકલ કોલેજો
અને GMERS સંચાલિત મેડીકલ કોલેજોના કર્મચારીઓને
સાતમા પગાર પંચનો લાભ અપાશે : નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ
.. .. .. .. .. ..
શૈક્ષણિક અને બિન શૈક્ષણિક તમામ કર્મચારીઓને લાભ મળશે
તા.૦૧/૦૪/૨૦૧૯થી રોકડમાં પગારનું ચૂકવણું થશે : એરિયર્સ અંગે અલગથી નિર્ણય કરાશે
.. .. .. .. .. ..
નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, રાજ્ય સરકારે તમામ અધિકારી-કર્મચારીઓને સાતમા પગાર પંચના લાભો આપી દીધા છે ત્યારે રાજ્યની કૃષિ યુનિવર્સિટી રાજ્ય સરકાર સંચાલિત ૬ મેડીકલ કોલેજો તથા ૨ ડેન્ટલ કોલેજો અને GMERS સંચાલિત ૮ મેડીકલ કોલેજના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ કે જે રાજ્ય સરકારના મંજૂર મહેકમ પર કામ કરી રહ્યા છે તેઓને ૭મા પગારપંચના લાભ આપવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે ઉમેર્યુ કે, આ યુનિવર્સિટીના પ્રાધ્યાપકો તથા બિન શૈક્ષણિક સ્ટાફ દ્વારા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને રજૂઆતો કરી હતી. તેને ધ્યાને લઇને રાજ્ય સરકારે આજે આ મહત્વનો નિર્ણય કર્યો છે. જેને નાણા વિભાગ અને આરોગ્ય વિભાગે મંજૂરી આપી છે. આ સાતમા પગારપંચના લાભો તા.૦૧/૦૪/૨૦૧૯થી રોકડમાં પગારનું ચૂકવણુ થશે. જ્યારે એરિયર્સ અંગે અલગથી નિર્ણય કરવામાં આવશે.

શ્રી પટેલે ઉમેર્યુ કે, કૃષિ યુનિવર્સિટીના પ્રોફેસરો, બિન શૈક્ષણિક સ્ટાફના કર્મચારીઓ કે જે સરકાર માન્ય મહેકમ પર ફરજો બજાવે છે. તે તમામને લાભ મળશે. એજ રીતે રાજ્ય સરકાર સંચાલિત મેડીકલ અને ડેન્ટલ કોલેજોના પ્રાધ્યાપકો, સહપ્રાધ્યાપકો, મદદનીશ પ્રાધ્યાપક- વર્ગ-૧ના તમામ અધિકારી તથા બિન શૈક્ષણિક કર્મચારીઓ અને ગુજરાત મેડીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી (GMERS) સંચાલિત કોલેજોના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મીઓને આ સાતમા પગારપંચના લાભો તા.૦૧/૦૪/૨૦૧૯થી મળતા થઇ જશે તેમ તેમણે ઉમેર્યુ હતું.

No comments:

Post a Comment

Total Pageviews