WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Friday, April 5, 2019

ગુજરાતમાં કોંગ્રેસે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો,


લોકસભા ની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ આજે પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ 10 દિવસ સુધી ગુજરાતના પ્રવાસે છે. હવે તેઓ દરેક બેઠક દીઠ નિરીક્ષણ કરશે. આજે પ્રદેશ પ્રભારી રાજીવ સાતવે ગુજરાતમાં કોંગ્રેસનો મેનિફેસ્ટો જાહેર કર્યો હતો. ગુજરાતમાં કોંગ્રેસના મેનિફેસ્ટો જાહેર કરવા માટે રાજીવ સાતવે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રસંગે અમિત ચાવડા સહિતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

સાતવે જણાવ્યું હતું કે, કોંગ્રેસના મેનિફેસ્ટોમાં હકીકતલક્ષી વાત કરવામાં આવી છે. ગુજરાતમાં કોંગ્રેસના મેનિફેસ્ટોને ‘અમે નિભાવીશું’ના નામથી જાહેર કરવામાં આવ્યો છે. સાતવે મેનિફેસ્ટોની વાત કરતા જણાવ્યું હતું કે, જો અમારી સરકાર કેન્દ્રમાં બની તો અમે ગરીબોને વર્ષે રૂપિયા 72 હજાર આપીશું. ‘ગુજરાતના 40 લાખ BPL પરિવારોને પણ સહાય આપવામાં આવશે. યુવાનોને રોજગારી આપવાનો અમે સંકલ્પ કરીએ છીએ. રાજ્યમાં બેરોજગારીનો ગ્રાફ નીચે ઉતારવા બનતા તમામ પ્રયત્નો કરવામાં આવશે.
સાતવે કહ્યું કે, મેનિફેસ્ટોમાં કોંગ્રેસ સરકાર ખેડૂતો માટે અલગ બજેટ લાવશે. જો અમારી સરકાર બની તો ખેડૂતોના દેવા માફ કરી દેવામાં આવશે. શિક્ષણને લઇને વાત કરતા રાજીવ સાતવે જણાવ્યું હતું કે, ધો.1થી 12 સુધી મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવશે. શિક્ષણની જેમ આરોગ્ય અંગે પણ અલગ કાયદો બનાવીશું. દેશના તમામ લોકોને મફત આરોગ્ય સેવા મળે તેવા પ્રયત્નો કરવામાં આવશે.

ગુજરાતમાં મેનિફેસ્ટો જાહેર કર્યા બાદ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું હતું. તેમણે કહ્યું કે, દેશની પ્રજાના અવાજને સંકલિત કરીને કોંગ્રેસ પક્ષે ચૂંટણી ઢંઢેરાના રૂપે સંકલ્પ વ્યક્ત કર્યો છે. ખોટા વાયદા અને વચનો કે સપના નથી બતાવ્યા અમે હકીકતલક્ષી વાત કરી છે. ગરીબોને વર્ષે 72 હજાર રૂપિયા આપવાની વાત કરી છે, તો તે કોંગ્રેસ પાર્ટી નિભાવશે.
ગુજરાતના 40 લાખ bpl પરિવારોને રૂ. 72 હજારની સહાય મળશે સાથે યુવાનોને પણ રોજગારી આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. તેમને મોદી સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ખેડૂતોને મોદી સરકારે વાયદા કરીને સપના બતાવ્યા હતા. પરંતુ કોંગ્રેસ સરકાર ખેડૂતો માટે અલગ બજેટ લાવશે. ખેડૂતોના દેવા માફ કરશે.
શિક્ષણમાં પણ ધોરણ 1 થી 12 સુધી મફત અને ફરજીયાત શિક્ષણ આપવાનો સંકલ્પ કોંગ્રેસે વ્યક્ત કર્યો છે. શિક્ષણની જેમ આરોગ્ય અંગે પણ કોંગ્રેસ સરકાર કાયદો બનાવશે. દેશના તમામ લોકોને મફત આરોગ્ય સેવા પૂરી પાડવામાં આવશે. તેમને કહ્યું કે, રાહુલ ગાંધી જે કહે છે તે કરીને બતાવે છે.

No comments:

Post a Comment

Total Pageviews