WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Monday, September 30, 2019

અંબાજીમાં મોટી બસ દુર્ઘટના, ખાનગી લક્ઝરી પલટી ખાતાં 10થી વધુ લોકોનાં મોતની આશંકા


બનાસકાંઠા પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી નજીક ખાનગી લક્ઝરી બસનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ખાનગી બસ પલટી ખાઈ જતાં 10થી 15 લોકોનાં મોતની આશંકા  છે. તો આ અકસ્માતમાં 30થી પણ વધારે લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. બનાસકાંઠાના ત્રિશુલિયા ઘાટ નજીક આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વરસાદને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે.



આ ગમખ્વાર અકસ્માતને લઈ જિલ્લા વહીવટીતંત્ર ફાયર બ્રિગેડ સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અકસ્માત બાદ 3 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. તો ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખેસડવામાં આવ્યા છે. લોકોમાં ચર્ચા અનુસાર વરસાદને કારણે બસ સ્લીપ ખાઈ ગઈ હતી. ઢાળ પર અચાનક બ્રેક મારવાને કારણે બસ સ્લીપ ખાઈ જવાની આશંકા સેવવામાં આવી રહી છે. આ લક્ઝરી બસ અંબાજીથી દાંતા તરફ આવી રહી હતી.
જિલ્લા તંત્રએ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી હતી. જેસીબી અને ક્રેનની મદદથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા હતા. અકસ્માત એટલો ભયાવહ હતો કે વરસાદને કારણે રસ્તો પણ લોહીથી લથપથ બની ગયો હતો. અને બસમાં ફસાયેલાં લોકોની ચીચીયારી વાતાવરણમાં ગુંજી ઉઠી હતી.


                               અરૂણોદય ન્યૂઝ

No comments:

Post a Comment

Total Pageviews