WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Wednesday, April 15, 2020

લોકડાઉનના ચુસ્ત અમલ માટે બનાસકાંઠા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ તા.૩ મે સુધી જાહેરનામું લંબાવ્યું


લોકડાઉનના ચુસ્ત અમલ માટે બનાસકાંઠા જિલ્લા
મેજીસ્ટ્રેટશ્રીએ તા.૩ મે સુધી જાહેરનામું લંબાવ્યું

આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની તમામ સેવાઓ સદંતર બંધ રહેશે
………….
                સવારના ૫.૦૦ થી ૧૨.૦૦ કલાક દરમ્યાન
શાકભાજી અને ફળફળાદીનું વેચાણ કરી શકાશે
………….
પ્રિન્ટ કે સોશ્યલ મીડીયામાં કોરોના વાયરસ અંગે
કોઈપણ પ્રકારની અફવા ફેલાવશો તો તે ગુન્હો ગણાશે
………….
જાહેર રસ્તાઓ ઉપર થૂંકનાર પાસેથી દંડ વસૂલાશેઃ
સ્મશાન યાત્રામાં ૨૦ થી વધુ વ્યક્તિઓ જોડાઈ શકશે નહીં 
………….

|      હાલમાં નોવેલ કોરોનો વાયરસ કોવિડ-૧૯ ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈજેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. ભારતમાં પણ કોવિડ-૧૯ના મોટી સંખ્યામાં કેસો નોંધાયેલ છે, જે બાબતે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સમાંતરે નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ની ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. જે અનુસંધાને નોવેલ કોરોના વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં તકેદારીના ભાગરૂપે અગાઉ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી બનાસકાંઠા દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરી કેટાલંક નિયંત્રણો મુકવામાં આવ્યા હતા. નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી અંતર્ગત ગૃહવિભાગ બાબતોના જાહેરનામાંથી તા.૨૫/૩/૨૦૨૦થી તા.૧૪/૪/૨૦૨૦ સુધીનું સમગ્ર રાજયમાં લોકડાઉન જાહેર કરી આવશ્યક સેવાઓ સિવાયની તમામ સેવાઓ મોકુફ રાખવા માર્ગદર્શક સુચનાઓ આપવામાં આવેલ છે. વધુમાં ગુજરાત સરકારના ગૃહ વિભાગના નવા જાહેરનામાથી તા. ૧૪/૪/૨૦૨૦ થી સમગ્ર રાજયમાં વધુ ૧૯ દિવસ માટે એટલે કે તા.૧૫/૪/૨૦૨૦ ના ૦૦. ૦૦ કલાક થી તા.૩/૫/૨૦૨૦ ના ૨૪.૦૦ કલાક સુધી આવશ્યક સેવાઓ સિવાયની તમામ સેવાઓ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ કરેલ છે, જેથી સોશ્યલ ડીસ્ટન્સીંગથી કોરોના વાયરસના સંક્રમણને અટકાવી શકાય. બનાસકાંઠા જિલ્લામાં જાહેર જનતાની સલામતી માટે તથા કોરોના વાઈરસનું સંક્રમણ ન ફેલાય અને કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે જાહેરનામું બહાર પાડી બનાસકાંઠા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં નીચે મુજબના નિયંત્રણો મુકવા જરૂરી જણાય છે.
         શ્રી સંદિપ સાગલે, (આઈ.એ.એસ.), જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, બનાસકાંઠા પાલનપુરને ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪, ગુજરાત રાજય પોલીસ અધિનિયમની કલમ-૪૩, તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૩૪ તથા ધ ગુજરાત એપેડેમિક રેગ્યુલેશન-૨૦૨૦ અન્વયે મળેલ સત્તાની રૂએ બનાસકાંઠા જિલ્લામાં નીચે મુજબના કૃત્યો કરવાની મનાઇ ફરમાવાઇ છે.
(૧) સમગ્ર જિલ્લામાં સક્ષમ અધિકારીની પરવાનગી વગર અનઅધિકૃત/ગેરકાયદેસર રીતે ચાર કે ચારથી વધુ વ્યકિતઓએ એકી સાથે સમગ્ર જિલ્લામાં કોઈપણ જગ્યાએ એકી સાથે સમગ્ર જિલ્લામાં કોઈપણ જગ્યાએ ભેગા થવા ઉપર પ્રતિબંધ ફરમાવાયો છે.
(૨) આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની જાહેર જનતાની અવર જવર રહેતી હોય તેવી તમામ સેવાઓ સદંતર બંધ રહેશે.
(૩) તા.૧૫/૦૪/૨૦૨૦ થી તા.૦૩/૦૫/૨૦૨૦ સુધીના સમયગાળા દરમ્યાન અમૂલ પાર્લર દુધપાર્લર, ડેરી પરથી ફકત સવારના ૫.૦૦ થી ૯.૩૦ કલાક સુધી દૂધ વિતરણ કરવાનું રહેશે. દિવસના અન્ય સમયગાળા દરમ્યાન અમુલ પાર્લર/દુધપાર્લર ડેરી સદંતર બંધ રાખવાની રહેશે. તેમજ છુટક દૂધનું વેચાણ કરતા વિક્રેતાઓ ફકત સવારે પ.૦૦ થી  ૯.૩૦ સુધીમાં જ વેચાણ કરી શકશે. સાંજના સમયે દૂધનું વિતરણ કરી શકાશે નહીં. વિતરકોએ ૧૦.૦૦ કલાક સુધીમાં તેઓના ઘરે પહોચી જવાનું રહેશે .
(૪) તમામ હોલસેલ/છુટક કરીયાણાના વેપારીઓએ તા.૧૫/૦૪/૨૦૨૦ થી તા.૦૩/૦૫/૨૦૨૦ દરમ્યાન ફકત સવારના ૭.૦૦ થી ૧૨.૦૦ કલાક સુધી વેચાણ વિતરણ કરવાનું રહેશે. દિવસના અન્ય સમયગાળા દરમ્યાન દુકાન/મોલથી ગ્રાહકોને રૂબરૂ વેચાણ/વિતરણ સેવા સદંતર બંધ રાખવાની રહેશે. તેઓ ગ્રાહકોને હોમડીલીવરી કરી શકાશે.
(૫) બનાસકાંઠા જિલ્લામાં આવેલી તમામ નર્સિંગ હોમ/હોસ્પિટલો, દવાખાનામાં (ઈનહાઉસ) માં આવેલા મેડીકલ સ્ટોર્સ ખુલ્લા રાખી શકાશે.
(૬) બનાસકાંઠા જિલ્લા શહેરી વિસ્તારમાં આવેલ તમામ દવાના સ્ટોર્સ/મેડીકલ સ્ટોર્સ તા.૧૫/૦૪/ ૨૦૨૦ થી તા.૦૩/૦૫/૨૦૨૦ દરમ્યાન ફકત સવારના ૭.૦૦ થી ૧૨.૦૦ કલાક સુધી વેચાણ વિતરણ કરવાનું રહેશે. દિવસના અન્ય સમયગાળા દરમ્યાન દવાના મેડીકલ સ્ટોર્સ સેવા સદંતર બંધ રાખવાની રહેશે. ૧૨.૦૦ કલાક બાદ વોર્ડવાર તેમના એસોસિયેશન દ્વારા નકકી થતી એક દવાની દુકાન (મેડીકલ સ્ટોર્સ) ખુલ્લી રાખી શકાશે. તેમજ ગ્રામ્ય વિસ્તારમાં આવેલ મેડીકલ સ્ટોર્સ તા. ૧૫/૦૪/૨૦૨૦ થી  તા.૦૩/૦૫/૨૦૨૦ દરમ્યાન ફકત સવારના ૭.૦૦ થી ૧૨.૦૦ કલાક સુધી વેચાણ/વિતરણ કરવાનું રહેશે, ત્યારબાદ ગામ દીઠ એક દુકાન મેડીકલ સ્ટોર્સ ખુલ્લી રાખી શકાશે. આ બાબતે શહેરી વિસ્તારમાં અમલીકરણની  સંબંધિત નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ પંચાયતની રહેશે.
(૭) પાલનપુર, ડીસા, ધાનેરા, થરાદ, થરા અને ભાભર શહેર સહિતના તમામ શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં ટેમ્પો ટ્રેકટર/લારી દ્વારા સવારના પ.૦૦ થી ૧૨.૦૦ કલાક દરમ્યાન શાકભાજી ફળફળાદી/વિતરણ વેચાણ કરી શકાશે. તેમાં બનાસકાંઠા જિલ્લાના તમામ નાગરિકોએ પોતાના વિસ્તારમાંથી જરૂર મુજબની શાકભાજી મેળવી લેવાની રહેશે. તથા વિતરકોએ ૧૨.૩૦ કલાક સુધીમાં તેઓના ઘરે પહોંચી જવાનું રહેશે. આ બાબતે શહેરી વિસ્તારમાં અમલીકરણની જવાબદારી સંબંધિત નગર પાલિકા અને ગ્રામ્ય વિસ્તારમાં સંબંધિત ગ્રામ પંચાયતની રહેશે.
(૮) દરેક નાગરિકોએ લોકડાઉન દરમ્યાન ફરજીયાતપણે પોતાના ઘરમાં જ રહેવાનું રહેશે. ઘરની બહારના જાહેર રસ્તા પર મોર્નીગ વોક ઈવનીગ વોક પણ કરી શકશે નહી.
(૯) સરકારી/અર્ધસરકારી કચેરીઓમાં પાણીની સેવાઓ પુરી પાડનાર વિક્રેતાઓ સવારના ૭.૦૦ થી ૧૨.૦૦ કલાક દરમ્યાન પાણીની સેવાઓ પુરી પાડી શકશે અને તેઓને આપવામાં આવેલ પાસ આ સમય દરમ્યાન જ માન્ય ગણાશે.
(૧૦)પંડીત દિનદયાળ ગ્રાહક ભંડારના વિક્રેતાઓ સરકારશ્રી દ્વારા આપવામાં આવેલું વખોતવખતની સુચનાઓ મુજબ અનાજનું વિતરણ ચાલુ રાખી શકશે અને તેઓને આપવામાં આવેલ પાસ માન્ય ગણાશે.
(૧૧) ખેતી માટેના ખાતરની છુટક તથા જથ્થાબંધ દુકાનો, બિયારણ, જંતુનાશક દવાના માલસામાનનો વેચાણની દુકાનો, કૃષિ પેકેઝીંગ માટેના સામાનની દુકાનો, કૃષિ મશીનરીની દુકાનો, કૃષિ મશીનરી સ્પેરપાર્ટસ સંબંધિતની દુકાનો, મોટર પમ્પસ રીપેરીંગ તથા તેમના સામાનની દુકાનો. તા.૧૫/૦૪/૨૦૨૦ થી તા.૦૩/૦૫/૨૦૨૦ દરમ્યાન ફકત સવારના ૭.૦૦ થી ૧૨.૦૦ કલાક સુધી વેચાણ/વિતરણ/રીપેરીંગ કરવાનું રહેશે.
(૧૨) પાતાળકુવા રીપેરીગ માટેના મશીનરીને વહન કરતાં ભારે વાહનો અવર જવર કરી શકશે.
 (૧૩) દ્વિ ચક્રિય વાહન પર એક વ્યકિત અને ત્રણ ચાર ચક્રિય વાહનમાં બે થી વધુ વ્યકિત પ્રવાસ કરી શકશે નહી. દિવ્યાંગ વ્યકિત માટે  દ્વિ ચક્રીય વાહન અને મેડીકલ ઈમરજન્સી માટેના ત્રણ/ ચાર ચક્રિય વાહન અપવાદ રહેશે.
(૧૪) કોઈપણ વ્યકિત/સંસ્થા કોરોના વાયરસ અંગેની કોઈપણ પ્રકારની અફવા પ્રિન્ટ કે સોશિયલ મીડીયા મારફતે ફેલાવશે તો તે ગુન્હો ગણાશે અને તેમના વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
(૧૫) જિલ્લા વિસ્તારમાં જાહેર તથા ખાનગી સ્થળોએ સંયમ સત્તાધિકારીની પર્વ પરવાનગી વગર કોઈપણ પ્રકારના સભા, સરઘસ, સંમેલન, મેળાવડા કે લોકમેળા કે જે પ્રસંગે મોટા સંખ્યામાં લોકો એકત્રિત થાય તેવા કોઈ આયોજન કરવો નહીં કે આવા આયોજનમાં વિશાળ સંખ્યામાં લોકોએ હાજર રહેવું નહીં.
(૧૬) તમામ ધાર્મિક સંસ્થાઓ જેવી કે મંદિર, મસ્જિદ, ચર્ચ, અગિયારી, ગુરૂદ્વારામાં ભીડભાડ ન થાય તે અન્વયે રાજય સરકારશ્રી દ્વારા આપવામાં આવતી સુચનાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
(૧૭) જાહેર રસ્તાઓ ઉપર કોઈ વ્યકિત થુંકીને કે અન્ય રીતે ગંદકી કરશે અથવા ગંદકી ફેલાવશે તો તેમની પાસેથી નિયમોનુસાર દંડ વસુલ કરવામાં આવશે.
(૧૮) જો કોઈ વ્યકિત જાહેર થયેલ કોરોના વાયરસ પોઝીટીવ વિસ્તાર/દેશમાંથી અથવા અન્ય જગ્યાએથી મુસાફરી) સ્થળાંતર કરીને છેલ્લા ૧૪ દિવસમાં આવેલા હોય તો તેમને નજીકની સરકારી હોસ્પિટલ ખાતે અથવા હેલ્પલાઈન નં. ૧૦૪ ઉપર ફરજીયાત જાણકારી ઓપવાની રહેશે.
(૧૯) સ્મશાન યાત્રામાં ૨૦ વ્યકિતથી વધુ ઈસમો જોડાઈ શકશે નહીં.
(૨૦) જિલ્લામાં આવેલ તમામ કતલખાના આ સમયગાળા દરમિયાન બંધ રાખવાના રહેશે.
(૨૧) આવશ્યક ચીજવસ્તુના વિતરણ/વેચાણના કિસ્સામાં વિતરકો તથા ગ્રાહકોએ સરકારશ્રીની એડવાઝરી મુજબ સોશ્યલ ડીસ્ટન્સીગ જાળવવાનું રહેશે. આ જાહેરનામું સમગ્ર બનાસકાંઠા મહેસુલ વિસ્તારમાં લાગુ પડશે.
નીચેની  બાબતો  અપવાદ  ગણાશે
(૧) વીજળી અંગેની સેવાઓ, વીમા કંપની, ઈન્ટરનેટ ટેલીફોન તથા આઈ.ટી અને આઈ.ટી. સંબંધિત સેવાઓ.  (૨) પેટ્રોલપંપ, પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા તંત્ર (૩) બેંક/એટીએમ/બેંકનું કલીયરીંગ હાઉસ, (૪) તમામ આવશ્યક વસ્તુઓના ગોડાઉન, તથા વ્યાજબી ભાવની સરકાર માન્ય સેવાઓ અને આ જાહેરનામાથી નિશ્ચિત કરેલ સમયગાળાની આવશ્યક સેવાઓ (૫) ખાધપદાર્થો તથા ખાધસામગ્રી, દવાઓ, પેસ્ટ કંટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા અને તેને લગતું ઈ-કોમર્સ, ખેતી કામ તથા ખેત મજુરો (૬) બનાસકાંઠા જિલ્લાના મીડીયાકર્મી/ પત્રકાર, ડોકટર/પેરામેડીકલ સ્ટાફ અને લેબ ટેસ્ટીંગ સાથે સંકળાયેલ સ્ટાફ તથા સરકારી/ અર્ધસરકારી કચેરીઓમાં આઉટસોર્સથી સેવા આપનાર એજન્સીઓ/કર્મચારી તમામને અત્રેથી આપવામાં આવેલ મુક્તિપાસ માન્ય રહેશે,  (૭) લોકડાઉનમાંથી મુકિત આપવામાં આવેલ ઔધૌગિક એકમના કર્મચારીઓ જેઓને મુક્તિ પાસ આપવામાં આવેલ હોય તેઓ ઘરથી વ્યવસાય તથા વ્યવસાયના સ્થળેથી ઘરે જઈ શકશે.
(૮) આ હુકમ સરકારી ફરજ સરકારી ઉ૫૨ના પોલીસ સહિતના કર્મચારી/અધિકારીઓને તથા તેમના વાહનોને લાગુ પડશે નહી. (૯) ભારત સરકારના હુકમ મુજબ તા.૧૪/૪/૨૦૨૦ની અધિસુચના મુજબની મુક્તિ આપેલ સેવાઓ. આ જાહેરનામું આજ તા.૧૫/૦૪/૨૦૨૦ થી તા.૦૩/ ૦૫/૨૦૨૦ સુધી અમલમાં રહેશે.
        આ હુકમ અન્વયે બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિક્ષકશ્રીના દરજજાથી હેડ કોન્સ્ટબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે આઈ.પી.સી. ક. ૧૮૮ તથા ગુ.પો.અધિ. ક. ૧૩૭ તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ ૫૧ થી ૫૮ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

No comments:

Post a Comment

Total Pageviews