WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Thursday, May 7, 2020

બનાસકાંઠા/ખાનગી હોસ્પીટલોમાં સારવાર શરૂ નહીં કરનાર તબીબો વિરૂધ્ધ કાર્યવાહી કરાશે


ખાનગી હોસ્પીટલોમાં સારવાર શરૂ નહીં
કરનાર તબીબો વિરૂધ્ધ કાર્યવાહી કરાશે
---કલેકટરશ્રી સંદીપ સાગલે
 (માહિતી બ્યુરો,પાલનપુર)
          કોરોના વૈશ્વિક મહામારીના લીધે શરૂઆતના સમયમાં પ્રાઇવેટ ર્ડાકટર્સ પોતાની હોસ્પીટલ, દવાખાના બંધ રાખતા હતા. જિલ્લા વહીવટીતંત્રના પ્રયત્નોથી અને ઇન્ડિયન મેડીકલ એસોસિએશનના સહયોગથી જિલ્લામાં ઘણા ખરાં ર્ડાકટરોએ પોતાના દવાખાનાઓ, હોસ્પીટલો શરૂ કરી છે અને ઓ.પી.ડી. શરૂ કરી છે. પરંતું હજુ ઘણા ખાનગી તબીબો પોતાના દવાખાનામાં દર્દીઓને સારવાર આપતા નથી અને સેવાઓ બંધ કરી છે તેવું ધ્યાનમાં આવતા બનાસકાંઠા કલેકટરશ્રી સંદીપ સાગલેએ ખાનગી તબીબોને પોતાની હોસ્પીટલોમાં કોવિડ-૧૯ સિવાયથી તમામ સારવાર તાત્કાલીક શરૂ કરવા જણાવ્યું છે. તેમણે કહ્યું કે કોવિડ-૧૯ સિવાયના અન્ય રોગો માટેની સારવાર શરૂ નહીં કરનાર તબીબો વિરૂધ્ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. આ એકટ હેઠળ રજીસ્ટ્રેશન કેન્સલ કરવા સહિતના પગલાં લેતાં વહીવટીતંત્ર ખચકાશે નહી તેમ કલેકટરશ્રીએ જણાવ્યું છે.

No comments:

Post a Comment

Total Pageviews