WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Tuesday, December 18, 2018

*ગુજરાત સરકારે કરી મોટી જાહેરાત, રૂ.625 કરોડના વીજ બીલ કર્યા માફ* 


*ગુજરાત સરકારે કરી મોટી જાહેરાત, રૂ.625 કરોડના વીજ બીલ કર્યા માફ*

રૂપાણી સરકારે આજે ગ્રામ્ય વિસ્તારો માટે જબરદસ્ત મોટો નિર્ણય લીધો છે. અંદાજે 625 કરોડ રૂપિયાના વીજ બીલ પેટે સરકારને ગ્રાહકો પાસેથી બાકી નીકળતા હતા. તે તમામ નાણાં સરકારે માફ કરવાની જાહેરાત કરી છે. રૂપાણી સરકારે આજે ‘એક વખતની સંપૂર્ણ માફી યોજના’ અંતર્ગત ઘર વપરાશ, કોમર્શિયલ, ખેતીવાડી હેતુના વીજ જોડાણો ધરાવતા ગ્રાહકોને માત્ર 500 રૂપિયા ભરીને બાકીની રકમ અને તેનું વ્યાજ ભરવામાંથી સંપૂર્ણ મુક્તિ અપાશે.

ગુજરાત સરકારની આ જાહેરાતથી ગ્રામીણ ક્ષેત્રના લોકોને ફાયદો થશે. તો બીજીબાજુ આ યોજનાની જાહેરાત કરતાં કૉંગ્રેસના નેતાઓનું કહેવું છે કે જસદણની ચૂંટણી ટાણે આવી જાહેરાતો ના કરાય. બીજું કે આ વીજ ચોરી માફી તો અપૂરતી છે. જો સરકાર ખેડૂતોનું હિત ઇચ્છતી હોય તો તેના બધા દેવાં માફ કરવા જોઇએ. મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં સરકાર બન્યાના ચાર કલાકમાં જ ખેડૂતોના દેવા માફ કર્યા તેમ કરવા જોઇએ.

ત્યારે આ બધાની વચ્ચે પ્રશ્ન એ થાય કે જસદણ પેટા ચૂંટણીના મતદાન આડે ગણતરીના કલાકો બાકી છે ત્યારે આ નિર્ણય આચારસંહિતાનો ભંગ ન ગણાય?

                            🖊 અરૂણોદય ન્યૂઝ🖊

No comments:

Post a Comment

Total Pageviews