WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Sunday, December 9, 2018

*ગુજરાતમાં ૪ લાખ નાના-મધ્યમ ઉદ્યોગો પૈકી ૮૦% મંદીની ઝપેટમાં, ૫૦%ને તાળા લાગ્યા*

*ગુજરાતમાં ૪ લાખ નાના-મધ્યમ ઉદ્યોગો પૈકી ૮૦% મંદીની ઝપેટમાં, ૫૦%ને તાળા લાગ્યા*
નાના-મધ્યમ કદના ઉદ્યોગોને હાંસિયામાં ધકેલી દેવાતા ગુજરાતમાં બેરોજગારી વધી : કોંગ્રેસ
વાયબ્રન્ટ સમિટમાં ફક્ત મોટા ઉદ્યોગૃહો માટે લાલ જાજમ, નાના-મધ્યમ ઉદ્યોગો સાથે ઓરમાયું વર્તન
*અમદાવાદ, શનિવાર*
ગુજરાતમાં ૪ લાખ નાના અને મધ્યમ ઉદ્યોગો પૈકી ૮૦% મંદીની ઝપેટમાં છે, આ સ્થિતિને પગલે બેરોજગારીમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યના નાના ઉદ્યોગોને નાણા-ધિરાણ મળતું નથી અને છેલ્લા ૭ માસમાં લઘુ ઉદ્યોગોને અપાતા ધિરાણમાં ૧૦%નો ઘટાડો થયો છ. બીજી તરફ બેંકોના અબજો રૃપિયા ડુબાડનારા વિજય માલ્યા, નિરવ મોદી, મેહુલ ચોક્સી જેવા કૌભાંડીઓને સેઇફ પેસેજ આપીને ભગાડી દેવાય છે તેવો આક્ષેપ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવ્યો છે.
ગુજરાત કોંગ્રેસે જણાવ્યું હતું કે, 'રાજ્યમાં બેરોજગારી સતત વધી રહી છે તેના મુખ્ય કારણો પૈકી રાજ્યમાં ૪ લાખ નાના-મધ્યમ ઉદ્યોગો પૈકી ૫૦% ઉદ્યોગો બંધ છે. ગુજરાતમાં ૨૦૨ જીઆઇડીસી છે. પરંતુ ભાજપ સરકારની નાના-મધ્યમ ઉદ્યોગ વિરોધી નીતિને કારમે માત્ર ૧૦૨ જીઆઇડીસી કાર્યરત્ છે જ્યારે બાકીની બંધ હાલતમાં છે. ભાજપના છેલ્લા ૧૫ વર્ષના શાસનમાં માત્ર બે જીઆઇડીસી બની છે. રાજ્યમાં બચતના ૨૨% ધિરાણ પણ મળતું નથી. હજારો કરોડનું ધિરાણ લેનારા મોટા ઉદ્યોગોએ નાણા પરત નહીં કરતા લઘુ-નાના-મધ્યમ ઉદ્યોગો ધિરાણ વિનાના બિનઉત્પાદક થઇ ગયા છે.
વડાપ્રધાન મોદીએ ૧ કરોડ સુધીની લોન ૫૯ મિનિટમાં મંજૂર કરવાની જાહેરાત કરી, પરંતુ આ દાવો છેતરપીંડીવાળો સાબિત થયો છે. આ યોજનાથી માત્ર સર્વિસ પ્રોવાઇડર્સ કંપનીને જ કરોડો રૃપિયાનો ફાયદો થયો છે. સ્થાનિક કક્ષાએ રોજગારી નહીં મળતા બેરોજગારોની ફોજ વધતી જાય છે. વાયબ્રન્ટ સમિટમાં મોટા ઉદ્યોગગૃહોને આમંત્રણ આપવામાં આવે છે અને નાના-મધ્યમ ઉદ્યોગના પ્રતિનિધિઓને હાંસિયામાં ધકેલાતા હોય છે. અબજો-કરોડોની કંપનીઓ સરકારી લાભો લઇને બેઠી છે પરંતુ સ્થાનિક રોજગારી આપતી નથી તેની જ ભાજપ સરકાર ચિંતા કરે છે. હકિકતમાં રાજ્યમાં યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રાન્સપોર્ટ,સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રો ગુજરાતમાં નથી તે વિકસાવવા જોઇએ. નાના-મધ્યમ ઉદ્યોગોની ઉપેક્ષા કરવામાં આવશે ત્યાં સુધી બેરોજગારી પણ વધતી જશે. આગામી વાયબ્રન્ટ સમિટના પાર્ટનર ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ તેમજ ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના આંકડા મુજબ રાજ્યના નાના-મધ્યમ ઉદ્યોગોની સ્થિતિ કથળેલી છે. '

સુરત ટેક્ષટાઇલ્સ ઉદ્યોગની સ્થિતિ
વિગત બંઘની વિગત બેરોજગાર
ટ્રેડર્સમાં        ૪૦% ધંધો બંધ        ૧ લાખ
લૂમ્સમાં        ૪૦% પ્રોડક્શન બંધ   ૪.૨૦ લાખ
એમ્બ્રોઈડરીમાં ૧.૨૦ લાખ મશિનો    ૭૦% બંધ     ૬૦ હજાર
ઘરેલુ મહિલાઓની રોજગારી છીનવાઇ       --      ૩ લાખ
કુલ    --      ૮.૮૦ લાખ
 *અરૂણોદય ન્યૂઝ* 

No comments:

Post a Comment

Total Pageviews