WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Tuesday, March 24, 2020

બનાસકાંઠા જિલ્લામાં હાઇરીસ્ક ગ્રુપમાં આવતા ૬ લાખ વ્યક્તિઓનું જિલ્લાકક્ષાએથી સીધુ મોનીટરીંગ


બનાસકાંઠા જિલ્લામાં હાઇરીસ્ક ગ્રુપમાં આવતા
૬ લાખ વ્યક્તિઓનું જિલ્લાકક્ષાએથી સીધુ મોનીટરીંગ

૨૪૨૫ આશા, ૧૫૨૮ મલ્ટી પર્પઝ અને ફિેમેલ હેલ્થ વર્કર, ૨૫૨ ર્ડાકટરો સહિતના આરોગ્ય સ્ટાફ દ્વારા ઘેર ઘેર સઘન સર્વે
સરપંચ અને ગામના સ્થાનિક તંત્ર સાથે સતત સંપર્કમાં રહી
બહારથી આવતા પ્રવાસીઓ પર આરોગ્ય વિભાગની બાજ નજર
(માહિતી બ્યુરો, પાલનપુર)
       બનાસકાંઠા જિલ્લામાં વૈશ્વિક મહામારી કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે જિલ્લા કલેકટરશ્રી સંદીપ સાગલેની સુચના અને માર્ગદર્શન અનુસાર આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વ્યાપક કામગીરી કરવામાં આવી રહી છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ર્ડા. મનીષ ફેન્સીએ કોરોના વાયરસને અનુલક્ષી જિલ્લામાં કરવામાં આવેલ કામગીરીની માહિતી આપતા જણાવ્યું છે કે, કોરાના વાયરસના સંક્રમણને અટકાવવા બનાસકાંઠા જિલ્લામાં હાઇરીસ્ક ગ્રુપમાં આવતા ૬ લાખ વ્યક્તિઓનું જિલ્લાકક્ષાએથી સીધુ મોનીટરીંગ કરવામાં આવે છે. ૨૪૨૫ આશા, ૧૫૨૮ મલ્ટી પર્પઝ અને ફિમેલ હેલ્થ વર્કર, ૨૫૨ જેટલાં મેડીકલ ઓફિસર ર્ડાકટરો સહિતના સ્ટાફ દ્વારા ઘેર ઘેર ફરીને સઘન સર્વે કરવામાં આવી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં બહારથી આવતા પ્રવાસીઓનું સઘન મોનીટરીંગ અને સ્ક્રીનીંગ કરવામાં આવે છે. આજદિન સુધી વિદેશમાંથી આવેલા ૩૭૦ પ્રવાસીઓને ટ્રેક કરવામાં આવ્યા છે. જે પૈકી ૨૨૩ પ્રવાસીઓનું ૧૪ દિવસનું ઓબ્ઝર્વેશન પૂર્ણ થયેલ છે. ૧૪૭ પ્રવાસીઓ અન્ડર ઓબ્ઝર્વેશનમાં છે. મહારાષ્‍ટ્રમાંથી  ૪૭૪૯ વ્યક્તિઓ બનાસકાંઠા જિલ્લામાં આવ્યા છે. આજદિન સુધી બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમિત એકપણ કેસ પોઝીટીવ નોંધાયો નથી. આઇસોલેશનમાં રાખેલ ૪ શંકાસ્પદ પ્રવાસીઓના રિપોર્ટ પણ નેગેટીવ આવ્યા છે. દિયોદર તાલુકામાં હોમ ક્વોરોન્ટાઇનમાં રહેલ  વ્યક્તિ વાઇલેટ કરતા હોઇ તેની સામે ફરીયાદ દાખલ કરી તેને હોમ ક્વોરોન્ટાઇનમાં રહેવાની ફરજ પાડવામાં આવી છે.      કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે જિલ્લામાં ૧૩૫૫ બેડની સુવિધાવાળા  ક્વોરોન્ટાઇનની વ્યવસ્થા ઉપલબ્ધ બનાવાઇ છે. બનાસકાંઠા જિલ્લામાં જાહેરમાં થૂંકનાર વ્યક્તિઓ પાસેથી ગ્રામ્ય વિસ્તારમાં રૂ. ૧,૩૦,૫૦૦/- અને નગરપાલિકા વિસ્તારમાં રૂ. ૧,૪૮,૩૦૦/- એમ કુલ રૂ. ૨,૭૮,૮૦૦ દંડ વસૂલવામાં આવ્યો છે. 

૦૦૦૦૦૦૦૦૦૦

No comments:

Post a Comment

Total Pageviews