પાલનપુર- કરજોડા ફાટકનો આબુરોડથી અંબાજી આવવા જવા રસ્તાનું
ડાયવર્ઝન અપવા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ જાહેરનામું પ્રસિધ્ધ કર્યુ
અરૂણોદય ન્યૂઝ.
એકઝીક્યુટીવ એન્જિનિયરશ્રી, નેશનલ હાઈવે ડીવીઝન, અમદાવાદના તા.૨૨/૦૯/૨૦૨૧ના પત્રથી કરજોડા- પાલનપુર એલ.સી.૧૬૫ ઉપર રેલ્વે ઓવરબ્રીજની કામગીરી માટે ક્રોસીંગનો રૂટ ડાઈવર્ટ કરવા જાહેરનામું પ્રસિધ્ધ કરવા દરખાસ્ત કરી છે.
શ્રી આનંદ પટેલ (આઈ.એ.એસ.), જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, બનાસકાંઠા, પાલનપુરને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩ (૧) ખંડ (ખ) અન્વયે મળેલ સત્તાની રૂએ કરજોડા પાલનપુર એલ.સી.૧૬૫ ઉપર રેલ્વે ઓવરબ્રીજની કામગીરી કરવાની હોવાથી તા.૦૪/૧૦/૨૦૨૧ થી તા.૦૨/૧૨/૨૦૨૧ (બંને દિવસો સહિત) સુધી વાહન વ્યવહાર નીચે જણાવેલ રસ્તા પર ડાયવર્ટ કરવા ફરમાવ્યો છે. પાલનપુર-કરજોડા ફાટક (એલ.સી.૧૬૫) નાના વાહનો માટે આબુરોડથી અંબાજી આવવા-જવા માટે હયાત રસ્તો:-આબુરોડ- આર.ટી.ઓ.સર્કલ-અંબાજી હાઈવે ડાયવર્ઝન આપેલ રસ્તા:- આબુરોડ- આર.ટી.ઓ.સર્કલ- માનસરોવર રેલ્વે ઓવરબ્રીજ- હરીપુરા પાયોનિયર ડેરી રોડ-અંબાજી હાઈવે, પાલનપુર-કરજોડા ફાટક (એલ.સી.૧૬૫) ભારે વાહનો માટે આબુરોડથી અંબાજી આવવા-જવા માટે હયાત રસ્તો:- આબુરોડ- આર.ટી.ઓ.સર્કલ - અંબાજી હાઈવે, ડાયવર્ઝન આપેલ રસ્તોઃ- આબુરોડ-આર.ટી.ઓ.સર્કલ-એરોમા સર્કલ- અમદાવાદ હાઇવે જગાણા ઓવરબ્રીજ-લાલાવાડા-રતનપુર-અંબાજી હાઈવે. આ પ્રતિબંધનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ હેઠળ સજાને ને પાત્ર ઠરશે.




No comments:
Post a Comment