કુંડળધામ શ્રીસ્વામિનારાયણ મંદિરના આર્થિક સહયોગથી ૧૦૦ જેટલા નિ : સંતાન તેમજ વિધવા મહિલા અને વિધુર વડીલોને રાશન કીટ અને બ્લેન્કેટનું વિતરણ કરાયું .
*ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*
અરૂણોદય ન્યૂઝ.
પૂજ્ય શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી અપાયેલા આર્થિક સહયોગથી બોટાદ પોલીસ દ્વારા નિ : સંતાન તેમજ વિધવા - વિધુરને સહાય કુંડળધામ પરમ પૂજ્ય શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી સુપ્રસિદ્ધ તીર્થ શ્રીસ્વામિનારાયણ મંદિર , કુંડળધામ દ્વારા અપાયેલા આર્થિક સહયોગથી એક સો જેટલા નિ : સંતાન તેમજ વિધવા મહિલાઓ અને વિધુર વડિલોને રાશન કીટ તથા બ્લેન્કેટનું વિતરણ કરાયું હતું કાર્ય તા . ૨૮ / ૧૧ / ૨૦૨૧ ના રોજ બોટાદ પોલીસ દ્વારા મહિલા પોલીસ સ્ટેશન બોટાદ ખાતે જરૂરિયાતમંદોને સહાયતાનું આ વિતરણ કરાયું હતું . બોટાદ જિલ્લા પોલીસ દાદા - દાદીના દોસ્ત પ્રોજેક્ટ અંતર્ગત ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી જિલ્લા બ્રાન્ચ બોટાદના સહયોગથી આ સમગ્ર વિતરણ કાર્ય કરવામાં આવ્યું હતું . આ પ્રસંગે બોટાદ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબ તથા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સેક્રેટરી શ્રી કિશોરભાઇ શાહ એવં અન્ય મહાનુભાવોના હસ્તે આ વિતરણ કરાયું હતું . એક સો જેટલા વિધવા – વિધુર વડિલોએ રાશન કીટ તથા બ્લેન્કેટ પ્રાપ્ત કરી શ્રીસ્વામિનારાયણ મંદિર કુંડળધામ તથા બોટાદ જિલ્લા પોલીસ - સુરક્ષા સેતુ સોસાયટી એવં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીનો આભાર વ્યક્ત કર્યો હતો .
*ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*




No comments:
Post a Comment